ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે ઘુંટુ પાસેના ભંગારના ડેલામાંથી છ શકપડતા બાઇક એન્જીનો કબ્જે કર્યા : આગળની તપાસ શરૂ


SHARE







મોરબી તાલુકા પોલીસે ઘુંટુ પાસેના ભંગારના ડેલામાંથી છ શકપડતા બાઇક એન્જીનો કબ્જે કર્યા : આગળની તપાસ શરૂ

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલા ભંગારના ડેલામાં શક પડ્યો હતો.જેથી ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાંથી બાઈકના છ એન્જીનો મળી આવ્યા હતા.જેથી કરીને 12 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક ઈસમ સામે હાલ કાર્યવાહી પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફના મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફ વોચ તપાસ તેમજ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાનમાં ઘુંટુ ગામ પાસે આવેલા રામકો વિલેજ નજીકના ઈંટોના ભઠ્ઠા સામેના ભાગે આવેલા ભંગારના ડેલામાં બાઇકના છૂટક એન્જીનો જોવા મળ્યા હતા અને આ બાઈકના એન્જિન શક પડતા હોવાથી ત્યાં જઈને પૂછપરછ કરવામાં આવતા ભંગારના ડેલાના સંચાલક દ્વારા ગલ્લા તલ્લા  કરવામાં આવતા હાલમાં શક પડતા છ નંગ બાઈક એન્જિન કિંમત રૂપિયા 12,000 જપ્ત કરવામાં આવ્યા છે અને તેની સાથે શકદાર તરીકે ડેલા સંચાલક જયસુખભાઈ ચતુરભાઈ ચૌહાણ જાતે કાંગસિયા મલ (ઉંમર 50) રહે.રામકો વિલેજ પાસે ઘુંટુ તા.જી.મોરબી વાળાની તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઘુંટુ ગામે મારામારીમાં ઇજા

મોરબીના ઘુંટુ ગામે આવેલા આંબેડકરનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં દેવજીભાઈ માલાભાઈ વોરા (ઉંમર 61) અને ગીતાબેન દેવજીભાઈ વોરા (ઉમર 55) રહે.બંને આંબેડકરનગર ઘુંટુ વાળાઓને 108 મારફતે સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા જે. પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના ઘુંટુ ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા હંસાબેન લાલજીભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે ગામમાં આવેલા રામજી મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.આ અકસ્માત અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News