હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા સાત પકડાયા


SHARE







મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા સાત પકડાયા

મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા હોવાનું બાતમી આધારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને ૨૦,૭૫૦ ની રોકડ કબજે કરી હતી. અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ લાતી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાયપાસ રોડે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગારની રેડ કરી હતી ત્યારે લોબીમાં જુગાર રમતા કિશોરભાઈ હરજીવનમાઇ રાઠોડ (૪૯) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, જયદિપભાઇ પ્રવિણભાઇ દેવાયતકા જાતે બારોટ (૨૪) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી રાજેશભાઈ શાંતીલાલ રાવલ જાતે બ્રાહ્મણ (૪૦) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, નિરવ ઉર્ફે લાલો સુભાષભાઇ મીરાણી જાતે લુહાણા (૩૧) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, નરેશભાઇ નાનજીભાઇ જસાપરા જાતે પટેલ (૩૮) રહે. મહેન્દ્રનગર રામેશ્વર પાર્ક સોસાયટી મોરબી, મુકેશભાઇ અરજણભાઇ જાદવ જાતે દલવાડી (૩૨) રહે. બોરીયા પાટ્ટી ઘુળકોટીયાની વાડી મોરબી અને હસમુખભાઇ નારણભાઇ કજારીયા જાતે દલવાડી (૪૫) રહે. વાવડી રોડ બાયપાસ ચોકડી પાસે રંગાણીની વાડીમાં મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૦,૭૫૦ ની રોકડ કબજે કરી હતી.

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કાળુભાઈ (૪૦) નામના યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના ભડીયાદ ખાતે રહેતા સત્યપ્રકાશ રામબાલકેશ્વર કુશવાહ (૩૮) નામનો યુવાન મોરબીના બેલા ગામ નજીક આવેલ સીરામીક કારખાના પાસેથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News