ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા સાત પકડાયા


SHARE











મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા સાત પકડાયા

મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા હોવાનું બાતમી આધારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને ૨૦,૭૫૦ ની રોકડ કબજે કરી હતી. અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ લાતી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાયપાસ રોડે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગારની રેડ કરી હતી ત્યારે લોબીમાં જુગાર રમતા કિશોરભાઈ હરજીવનમાઇ રાઠોડ (૪૯) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, જયદિપભાઇ પ્રવિણભાઇ દેવાયતકા જાતે બારોટ (૨૪) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી રાજેશભાઈ શાંતીલાલ રાવલ જાતે બ્રાહ્મણ (૪૦) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, નિરવ ઉર્ફે લાલો સુભાષભાઇ મીરાણી જાતે લુહાણા (૩૧) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, નરેશભાઇ નાનજીભાઇ જસાપરા જાતે પટેલ (૩૮) રહે. મહેન્દ્રનગર રામેશ્વર પાર્ક સોસાયટી મોરબી, મુકેશભાઇ અરજણભાઇ જાદવ જાતે દલવાડી (૩૨) રહે. બોરીયા પાટ્ટી ઘુળકોટીયાની વાડી મોરબી અને હસમુખભાઇ નારણભાઇ કજારીયા જાતે દલવાડી (૪૫) રહે. વાવડી રોડ બાયપાસ ચોકડી પાસે રંગાણીની વાડીમાં મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૦,૭૫૦ ની રોકડ કબજે કરી હતી.

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કાળુભાઈ (૪૦) નામના યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના ભડીયાદ ખાતે રહેતા સત્યપ્રકાશ રામબાલકેશ્વર કુશવાહ (૩૮) નામનો યુવાન મોરબીના બેલા ગામ નજીક આવેલ સીરામીક કારખાના પાસેથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News