હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નટરાજ ફાટકે બની રહેલા ઓવર બ્રિજના પિલરનો ઉપરનો ભાગ ભવિષ્યમાં દુર્ઘટના નોતરે તે પહેલા જ તોડી પાડવા આદેશ


SHARE





મોરબીના નટરાજ ફાટકે બની રહેલા ઓવર બ્રિજના પિલરનો ઉપરનો ભાગ ભવિષ્યમાં દુર્ઘટના નોતરે તે પહેલા જ તોડી પાડવા આદેશ

મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા મહિનાથી ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, હાલમાં જે પિલ્લર ઊભા કરવામાં આવ્યા છે તેના ઉપરના ભાગે કોન્ટ્રાક્ટર દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનું એલાઈમેંટ કામ દરમ્યાન ખસી ગયું હોવાથી ઓવરબ્રિજ ઉપર ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તે પહેલા પિલ્લર ઉપરનો જે ભાગ નમી ગયો છે તેને તોડી પાડવા માટે માએગ મકાન વિભાગના અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી છે જેથી કરીને હાલમાં જોખમી ભાગને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે નટરાજ ફાટકે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે અને આ કામ અમદાવાદની રણજીત કન્સ્ટ્રક્શન કંપની આપવામાં આવ્યું છે જો કે, છેલ્લા ઘણા મહિનાઓથી પિલ્લર ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે તેવામાં જે પાંચ નંબરનો પિલ્લર છે તેના ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં કામ દરમ્યાન કોંક્રિટના ભરાઈ વખતે તેનું એલાઈમેંટ ખસી ગયું હતું જેથી કરીને તે ભાગ નમી ગયો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ભવિષ્યમાં આ ઓવરબ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ જોખમી ભાગને તોડી પાડવા માટેનો આદેશ કરવામાં આવેલ છે તેવી માહિતી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજા પાસેથી જાણવા મળેલ છે. અત્રે ઉલેખનીય છેકે, હાલમાં કોન્ટ્રાકટર દ્વારા વધારાના ભાગને તોડી પાડવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.




Latest News