મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વિમેદારનું હાર્ટ એટેકથી મોત થતાં કંપનીએ હાથ ઊંચા કરી દીધા બાદ ગ્રાહક કોર્ટનો વીમો ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં વિમેદારનું હાર્ટ એટેકથી મોત થતાં કંપનીએ હાથ ઊંચા કરી દીધા બાદ ગ્રાહક કોર્ટનો વીમો ચૂકવવા આદેશ

મોરબીના રહેવાસી રાજુભાઇ બચુભાઇ ચૌહાણનું હાર્ટએટેકથી મૃત્યુ થતા તેણે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસેથી મકાન લોન લીધેલી તેમના મૃત્યુ પછી તેમના પત્ની વહીદાબેન ચૌહાણ વીમા કંપની આઇ.સી.આઇ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સમાં તમામ કાગળો રજુ કરેલ પણ વીમા કંપનીએ વીમાની રકમ ચુકવવાની ના પાડતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં જતાં કોર્ટ વહીદાબેનને 7 લાખ અને ખર્ચના પાંચ હજાર તા.20/2/23 થી 6 ટકા લેખે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના રહેવાસી રાજુભાઈ બચુભાઈ ચૌહાણે મકાન લેવા માટે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસે થી રૂપિયા સાત લાખની લોન લીધેલ મકાન નો વીમો આઇ.સી.આઈ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ નો હતો હવે રાજુભાઇનુ મૃત્યુ તા. ૨૬/૧૦/૨૧ નાં રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં મરનારનાં ધર્મ પત્ની વહીદાબેને તમામ કાગળો વીમા કંપનીને આપેલ છે પરંતુ વીમા કંપનીએ એવુ કારણ આપેલ કે હાર્ટ એટેક થી મૃત્યુ થાય તો વીમો મળે નહી આવુ કારણ આપી ગ્રાહકને અન્યાય કર્યો હતો જેથી કરીને વહીદાબેને મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં જતાં કોર્ટ એવુ જણાવેલ કે વીમાની પોલીસી ચાલુ હતી વીમા ગ્રાહક નુ મૃત્યુ થાય એટલે વીમા કંપનીએ રકમ ચુકવવી જોઇએ અને આઇ.સી.આઇ.સી. લોમ્બર્ડ વીમા કંપનીને વહીદાબેનને રૂપિયા 7 લાખ તેમજ 5 હજાર 6 ટકાના વ્યાજ સાથે તા. 20/2/23 થી ચુકવવાનો હુકમ કરેલ છે.






Latest News