મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વિમેદારનું હાર્ટ એટેકથી મોત થતાં કંપનીએ હાથ ઊંચા કરી દીધા બાદ ગ્રાહક કોર્ટનો વીમો ચૂકવવા આદેશ


SHARE















મોરબીમાં વિમેદારનું હાર્ટ એટેકથી મોત થતાં કંપનીએ હાથ ઊંચા કરી દીધા બાદ ગ્રાહક કોર્ટનો વીમો ચૂકવવા આદેશ

મોરબીના રહેવાસી રાજુભાઇ બચુભાઇ ચૌહાણનું હાર્ટએટેકથી મૃત્યુ થતા તેણે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસેથી મકાન લોન લીધેલી તેમના મૃત્યુ પછી તેમના પત્ની વહીદાબેન ચૌહાણ વીમા કંપની આઇ.સી.આઇ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સમાં તમામ કાગળો રજુ કરેલ પણ વીમા કંપનીએ વીમાની રકમ ચુકવવાની ના પાડતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં જતાં કોર્ટ વહીદાબેનને 7 લાખ અને ખર્ચના પાંચ હજાર તા.20/2/23 થી 6 ટકા લેખે ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે મોરબીના રહેવાસી રાજુભાઈ બચુભાઈ ચૌહાણે મકાન લેવા માટે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસે થી રૂપિયા સાત લાખની લોન લીધેલ મકાન નો વીમો આઇ.સી.આઈ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ નો હતો હવે રાજુભાઇનુ મૃત્યુ તા. ૨૬/૧૦/૨૧ નાં રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં મરનારનાં ધર્મ પત્ની વહીદાબેને તમામ કાગળો વીમા કંપનીને આપેલ છે પરંતુ વીમા કંપનીએ એવુ કારણ આપેલ કે હાર્ટ એટેક થી મૃત્યુ થાય તો વીમો મળે નહી આવુ કારણ આપી ગ્રાહકને અન્યાય કર્યો હતો જેથી કરીને વહીદાબેને મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં જતાં કોર્ટ એવુ જણાવેલ કે વીમાની પોલીસી ચાલુ હતી વીમા ગ્રાહક નુ મૃત્યુ થાય એટલે વીમા કંપનીએ રકમ ચુકવવી જોઇએ અને આઇ.સી.આઇ.સી. લોમ્બર્ડ વીમા કંપનીને વહીદાબેનને રૂપિયા 7 લાખ તેમજ 5 હજાર 6 ટકાના વ્યાજ સાથે તા. 20/2/23 થી ચુકવવાનો હુકમ કરેલ છે.






Latest News