મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર


SHARE













મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર

મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મોરબી તાલુકાના અપહરણ તથા પોકસોના ગુનાના ગુનામાં પકડાયેલા આરોપીના વકીલ મારફતે જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે, તેની સગીર વયની દીકરીનું અપહરણ કરીને લઈ ગયા હતા અને આ ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી. જેમાં આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફત મોરબી કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે  મોરબીના એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News