મોરબીમાં ગુરુનાનક જયંતીની વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ઉજવણી કરાઇ
SHARE








મોરબીમાં ગુરુનાનક જયંતીની વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ઉજવણી કરાઇ
મોરબી સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતી નિમિતે સિંધુ ભવન ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી મોરબીમાં સર્વે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્ટેશન રોડ પર આવેલ ગુરુનાનક દરબાર સિંધુ ભવન ખાતે સવારે નિતનેમ, આશાદી વાર અને કીર્તન યોજાયા હતા બાદમાં અખંડ પાઠ સાહેબની સમાપ્તિ ઉપરાંત સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ ગુરુ નાનકના દર્શન કર્યા હતા અને બપોરે લંગર પ્રસાદનો લાભ લીધો હતો સાંજે નગર કીર્તન (શોભાયાત્રા) યોજાઈ હતી જે શોભાયાત્રા ગુરુનાનક દરબાર સિંધુ ભવનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જે નગર કીર્તનનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
