મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













છત્તીસગઢથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબીના રંગપરગામેથી શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે. દાવપારા ચોક પાસે તા.જી. મુંગેરી છત્તીસગઢ વાળાઓએ આવી જાણ કરેલ હતી કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ (55) રહે. દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી વાળા અસ્થિર મગજના તેમજ વયોવૃધ્ધ હોય જે છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ગઇ તા.23/10/24 ના રોજ ટ્રેનમાં બેસી જતા રહેલ હતા અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી આપી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી અને રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં વૃદ્ધા હોવાની હકીકત મળતા મોરબી તાલુકાનાં પીઆઇ એન.આર મકવાણાની સૂચના મુજબ તાલુકાની ટીમના અશ્વિનભાઈ ઝાંપડીયા, વિજયભાઈ ગોલતર અને ખમાબેન બગોદરીયા ત્યાં પહોચ્યા હતા અને ખરાઇ કરતા વૃદ્ધા ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને તેનું મોરબી તાલુકા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું






Latest News