મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાન પાસેથી 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં વેપારી યુવાન પાસેથી 8.56 લાખનો મુદામાલ પડાવી લઈને ખંડણી માંગવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં દુકાન ધરાવતા વેપારી યુવાન પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવતી હતી અને સમયાંતરે તેની પાસેથી રોકડા 5,43,000 સહિત કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. અને માર મારીને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જે ગુનામાં પહેલા પકડાયેલ આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે અને આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન દેવકુમાર ચેતનભાઇ સોરીયા (21)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલાભાઈ રબારી તથા તેની સાથે રહેલા આજાણ્યા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, વિશાલ રબારી સાથે તેને કોઈપણ જાતની રૂપિયાની લેતી દેતી થઈ ન હતી તેમ છતાં પણ તેની પાસે બળજબરીથી ખંડણી માંગવામાં આવતી હતી અને અલગ અલગ સમયે તેની પાસેથી વિશાળ રબારીએ 5.46 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.

આટલું જ નહીં ફરિયાદી પાસેથી મોબાઈલ અને બુલેટ મળીને કુલ 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો તેમજ તે યુવાનને ટંકારા તાલુકાના વીરપર ગામની ખીણમાં તેમજ મીતાણા ગામ નજીક લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારે યુવાનને માર માર્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી. અને આરોપી વિશાલ વેલજીભાઇ આલ જાતે રબારી રહે. શક્તિ માતાજીનાં મંદિર પાછળ શનાળા વાળાની ધરપકડ કરી હતી.

આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ સી.એમ. કરકર અને તેની ટીમે આ ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે જેમાં સઇદ અક્રમ નરુલ અમીન કાદરી (25) રહે. ભવાની સોડા વાળી શેરી કાલીકા પ્લોટ રવાપર રોડ મોરબી તથા સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા (20) રહે. સનાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.






Latest News