મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત


SHARE













મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે નવો બનાવવામાં આવેલ છે અને ત્યાં લાઈટ નાખેલ છે પરંતુ તે લાઇટને ચાલુ કરવામાં આવતી નથી. જેથી લાઈટોને ચાલુ કરવા માટે સામાજીક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં સીએમને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઈવે ઉપર ઓવરબ્રીજ, અંડરપાસ બ્રીજ તેમજ ડીવાઈડર ઉપર લાઈટો નાખવામાં આવેલ છે પરંતુ લાઈટો ચાલુ કરવામાં આવેલ નથી. જેમાં ભકિતનગર ઓવરબ્રીજ તેમજ નવલખી રોડ ઉપર બનાવેલ રેલ્વે ઓવરબ્રીજનો  સમાવેશ થયે છે અને ત્યાં નાખેલ લાઈટો બંધ છે જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાને જરૂરી સુચાનાઓએ આપીને આ લાઇટો ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે.






Latest News