મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદાજુદા રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા થતી કનડગત રોકવા વડાપ્રધાનને રજૂઆત


SHARE













મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદાજુદા રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા થતી કનડગત રોકવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી સીરામીક ઉદ્યોગને તોલ-માપ વિભાગ તરફથી થતી મુશ્કેલી દૂર કરવા માટેની મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ વડાપ્રધાનને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીનો સીરામીક ઉદ્યોગ દેશમાં વધારેમાં વધારે ટેક્સ ભરે છે અને તેને કેરાલા, એમ.પી., રાજસ્થાન તથા અન્ય રાજયોના તોલ-માપ વિભાગથી ઘણી મુશ્કેલી પડી રહી છે. અહીંથી ટાઇલ્સની પેટી જેતે રાજયના ડીલરને પેટી પર એમ.આર.પી.ના સીકકા લગાવીને વહેચાણ કાયદેસર કરેલ હોય છે અને હવે ટાઈલ્સના ભાવ જુદા-જુદા રાજ્ય પ્રમાણે જુદાજુદા હોય છે હવે એક-બે વર્ષ પછી એમાં એમ.આર.પી.ના સીકકા ઝાંખા પડી ગયા હોય છે.

તો તોલમાપ વિભાગ મેન્યુફેકચર ઉપર કેસ કરે છે. હવે નિયમ એ છે કે જેતે ડીલરે એમ.આર.પી.ની માહીતી આપવાની હોય છે. તો કેસ ડીલર પર થવો જોઈએ એના બદલે સીરામીકના માલીક ઉપર કેસ કરી ગમે તે રકમનો દંડ ભરવાનું દબાણ કરે છે હવે ફેકટરી માલીકને જેતે રાજ્યમાં જવાની ફુરસદ ન હોય તેથી તે સ્થાનીક વેપારીને જાણ કરે છે. કે તમે પ્રશ્ન હલ કરી નાખો જેથી વેપારી અને તોલમાપ અધીકારી ભેગા થઈને દંડની રકમ નકકી કરી આપે છે. અને ભ્રષ્ટાચાર થાય છે તેવી ચર્ચા ચાલી રહી છે.

જેથી તમામ રાજયોમાં ટાઇલ્સની એમ.આર.પી. બાબત મુશ્કેલી ન થાય તે માટે એમ.આર.પી. બાબતના કેઈસ જેતે ફેકટરીના હોય તે જીલ્લામાં રજુ કરે, જો ગ્રાહકે ફરીયાદ કરવાની હોય તો સ્થાનીક ડીલર પર પ્રથમ કરે, મેન્યુફેકચર પર કંપનીને જાણ કર્યા વગર તોલમાપણ વિભાગ દંડની રકમ મંજુર કરી શકે નહીં, જો તોલમાપ દંડની રકમ નક્કી કરે તો ગ્રાહક અદાલતનું કામ શું ?, તોલમાપ વિભાગ કંપનીના માલીક સાથે ટાઇલ્સની એમ.આર.પી. બાબતે ઓનલાઈન ચર્ચા કરે વિગેરે બાબતોને ધ્યાને લેવામાં આવે તો ભ્રષ્ટાચાર થવાની શક્યતા નહીંવત થઈ જશે અને ઉદ્યોગકારોને ખોટી રીતે હેરાન કરવાનું પણ બંધ થઈ જશે.






Latest News