મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો માળીયા (મી)ના નાની બરાર ગામની શાળામાં ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો વાંકાનેરના ભીમગુડા-માટેલ ગામે શાળામાં પ્રવેશોત્સવ યોજાયા મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર કરવામાં આવેલ હુમલાના બનાવમાં હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ


SHARE















મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ

મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર સંજય પાર્કમાં મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરનું પાલિકાની ટીપી શખ્સ દ્વારા પોલીસને સાથે રાખીને ડીમોલેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આવેલ ગ્રીન સિટી સંજય પાર્કમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની સાથે જ હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. જે મંદિરને પાલિકાની ટીપી શાખાના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બુલડોઝર ફેરવીને તોડી નાખ્યું છે જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને જે જગ્યાએ મંદિર તોડવામા આવેલ છે ત્યાં અન્ય કોઈપણ ગેરકાયદે બાંધકામ કરાશે તો તંત્રની સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. જેથી આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિનય ગાયકવાડે જણાવ્યું હતું કે, મંદિર રસ્તાની વચ્ચે હતું જેથી તેને તોડી પાડવામાં આવેલ છે.




Latest News