મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદે મળ્યો

મોરબીના કંડલા બાયપાસ ખાતે મચ્છુ-૩ ડેમમાં ગઈકાલે સવારે એક રીક્ષા ચાલકે પડતું મૂક્યું હતું અને તે બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને ગઈકાલે વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો હતો જો કે, આજે સવારે ટીમ દ્વારા મચ્છુ-૩ ડેમમાંથી યુવાનો મૃતદેહ મળી આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મચ્છુ-૩ ડેમ ખાતે રિક્ષા ચાલકે ગઇકાલે ડેમમાં ઝંપલાવ્યું હતું જે અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને ડેમમાં પડેલ વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી ડેમમાં શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ પત્તો લાગેલ ન હતો. જો કે, આજે સવારે ફાયર વિભાગની ટીમે ડેમના પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢેલ છે અને મૃતક યુવાનનું નામ વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (૩૨) રહે. વિજયનગર રોહીદાસ પરા પાછળ અમરેલી રોડ મોરબી વાળો હોવાનું સામે આવ્યું છે. જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News