મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉધારમાં માલ આપીને આર્થિક ભીંસમાં આવેલ વેપારી યુવાને પાડોશીના ઘરમાં કરી 9.10 લાખના દાગીનાની ચોરી !


SHARE













મોરબીમાં ઉધારમાં માલ આપીને આર્થિક ભીંસમાં આવેલ વેપારી યુવાને પાડોશીના ઘરમાં કરી 9.10 લાખના દાગીનાની ચોરી ! 

મોરબીના સનાળા રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્કમાં જીવન જ્યોત હાઇટ્સના ફ્લેટમાં ચોરી કરવામાં આવી હતી અને ઘરમાંથી અજાણ્ય શખ્સ દ્વારા 9.10 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ભોગ બનેલા વૃધ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તાળું તોડવાને બદલે ખોલીને ચોરી કરવામાં આવી હતી જેથી જાણ ભેદુ હોવાની શક્યતા આધારે તપાસ શરૂ કરી હતી અને હાલમાં ચોરીના આ ગુનામાં વૃદ્ધના પાડોશમાં રહેતા વેપારી યુવાનની ધરપકડ કરેલ છે અને ઉધારમાં માલ આપીને આર્થિક ભીંસમાં આવી જવાના લીધે આ શખ્સે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

મોરબીના સનાળા રોડ  ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્ક જીવન જ્યોત હાઈટ્સ બ્લોક નંબર 502 માં રહેતા લક્ષ્મણભાઈ દેવકણભાઈ વડસોલા (65) એ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે,  ગત તારીખ 20/11 ના રોજ સવારના 9:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી તેમનું ઘર બંધ હતું દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ફ્લેટના દરવાજાનો લોક ખોલીને ફ્લેટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સેટીમાં રાખેલા સોનાના દાગીના જેમાં સોનાના બલોયા એક જોડી આઠ તોલા, પેન્ડલ બુટ્ટી માળાનો એક સેટ સવા ચાર તોલા તથા એક તોલા વજનનો સોનાનો ચેન આમ કુલ મળીને 9,10,000 ની કિંમતનો સોના દાગીનાની કરવામાં આવેલ હતી. જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ ગુનાની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. પાતાળિયા અને કિશોરભાઇ મિયાત્રા સહિતની ટિમ તપાસ કરી રહી છે અને હાલમાં આરોપી મિલન લાલજીભાઇ ફેફર (29) રહે. ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્ક જીવન જ્યોત હાઈટ્સ વાળાની ધરપકડ કરેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ આરોપી ફરિયાદીની પાડોશમાં રહે છે અને ફરિયાદી અવાર નવાર બહાર જાય ત્યારે તેમના ઘરની ચાવી આરોપીના ઘરે રાખતા હતા જેથી તેની પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હતી અને જે દિવસે ઘટના બની હતી ત્યારે ફરિયાદી આરોપીના ઘરે ચાવી આપેલ ન હતી જો કે, તેને પોતાની પાસે રાખેલ ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલીને ચોરીની ઘટનાને અંજામ આપેલ હતો. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપીને પ્લાઇવુડનો ધંધો છે અને ઉધરમાં માલ આપવાના લીધે છેલ્લા ઘણા સમયથી તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો અને તેને પોતાના જ ઘરની બાજુમાં રહેતા વૃદ્ધના ઘરમાથી 9.10 લાખની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે.






Latest News