હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 


SHARE













મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પણ આજની તારીખે મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી શહેરમાં એકપણ ફરવા લાયક સ્થળ નથી જેથી કરીને આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઇ, ગીરશભાઇ કોટેચાએ રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને જિલ્લો બન્યો તેને 11 વર્ષ થઈ ગયેલ છે તો પણ મોરબી શહેર તથા માળિયા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી કે માળિયા શહેરમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એક પણ સારો બગીચો આપી શક્યા નથી.

રાજશાહીમાં જે બગીચાઓ હતા તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી જેથી તે ખંઢેર બની ગયેલ છે. જેથી આ બંને શહેરમાં નવા બગીચા બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબીમાં વર્ષો જુનુ શોભેશ્વર રોડ પર પાલિકાએ બનાવેલ પીકનીક સેન્ટર આવેલ છે તે હાલમાં ખંઢેર હાલતમાં છે અને ત્યાં આવારા તત્વોએ કબજો કરી લીધેલ છે ત્યારે મોરબી જિલ્લાને 4  ધારાસભ્ય અને 3 સંસદ મળ્યા પણ એક સારો બગીચો કેમ ન મળ્યો તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં સારવાર માટે અને શિક્ષણ માટેની સારી સુવિધાઓ નથી અને રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા તેમજ નહેરૂ ગેટની ઘડિયાળ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે.ત્યારે લોકોની સુવિધાઓને વધારીને સારા બાગ સહિતની લોકોને સુવિધાઓ આપવામાં આવશે તો મોરબીના ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં સન્માન કરવામાં આવશે તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે.






Latest News