હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જતા બે લોકોને ઇજા


SHARE













મોરબીના માણેકવાડા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જતા બે લોકોને ઇજા

મોરબીના માણેકવાડા ગામ પાસે રીક્ષા પલ્ટી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાલકૃષ્ણભાઈ છગનભાઈ ગોહિલ (૩૦) રહે.જામ દુધઈ તા.જોડીયા જી.જામનગર તથા મહેશ બાબુભાઈ જાદવ (૩૦) રહે. જામનગર વાળાઓને ઇજા થતી અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ચાર માળીયા પાસેથી બાઈક લઈને જતા કલ્પેશ સુરેશભાઇ સોલંકી નામના ૩૧ વર્ષના યુવાનને અજાણ્યા ટ્રક હડફેટે ઈજા થઈ હતી.જેથી સારવાર માટે ખસેડાયો હતો.

બાળક સારવારમાં

મોરબીના ખાનપર ગામે રહેતા પરિવારનો અમિત અમરશીભાઈ મોહનિયા નામનો પાંચ વર્ષનો બાળક ગરમ પાણીમાં દાઝી ગયો હતો.જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેમજ ઘુંટું ગામે થયેલ મારામારીના બનાવમાં અર્પિત સુરેશભાઈ બાવરવા નામના ૨૦ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતા હંસલભાઈ અરજણભાઈ કિશોરી નામના ૧૯ વર્ષના યુવાનને ટ્રેક્ટર લઈને જતા સમયે સામેથી આવેલ કન્ટેનરની સાથે અથડામણ થતાં ઇજા પામતા ૧૦૮ વડે સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

વૃદ્ધ સારવારમાં

વાંકાનેરના ચંગાસર મંદિર પાસે રહેતા ઉદાભાઈ લખમણભાઇ ઠાકોર નામના ૬૩ વર્ષના વૃદ્ધ કોઈ કારણોસર દવા પી ગયા હતા.જેથી વાંકાનેર ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી કબીર ટેકરી ખાતે રહેતા મુમતાઝબેન હબીબભાઈ ચાનીયા નામના ત્રીસ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફિનાઇલ પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબીના શનાળા ગામે ચોકડી પાસે આવેલ સીએનજી પંપ નજીક થયેલ મારામારીના બનાવમાં સોનલબેન હમીરભાઈ વાઘેલા (૨૭) અને ભગુ નાથાભાઈ વાઘેલા (૧૫) નામના બે લોકોને ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.






Latest News