મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ડ્રગ્સના ધંધાર્થીઓ મોરબીના ઝીઝુડા સુધી કેવી રીતે પહોચ્યા ? કોથળામાં શું છે તે ઘરધણી જાણતો ન હતો !


SHARE











ડ્રગ્સના ધંધાર્થીઓ મોરબીના ઝીઝુડા સુધી કેવી રીતે પહોચ્યા ? કોથળામાં શું છે તે ઘરધણી જાણતો ન હતો !

મૂળ બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી જામનગર જિલ્લાના જોડિયાનો મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને તેની સાથે સલાયાનો રહેવાસી ગુલામ હુસૈન ઉમર ભગાડ મળી આવ્યો હતો ત્યારે આ શખ્સો કે જે ડ્રગ્સના ધંધા સાથે સંડોવાયેલા છે તેના સંપર્કમાં સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ કેવી રીતે આવ્યો તે સવાલ ઊભો થયો હતો ત્યારે એવિ માહિતી સામે આવી છે કે, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદની પત્ની જોડિયાની છે અને તેને મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવએ બહેન બનાવી છે જેથી કરીને તે સમસુદ્દીનના ઘરે આવતો જતો હતો અને તેના સંપર્કમાં હતો જેથી કરીને તેને વિશ્વમાં લઈને ત્યાં ડ્રગ્સ ઉતારવામાં આવ્યું હતુ

ઘરમાં આવેલા કોથળામાં ડ્રગ્સ છે તે સમસુદ્દીન જાણતો ન હતો !?

ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ કરીને ૧૧૮ કિલો ડ્રગ્સ પકડ્યું છે ત્યારે સવાલએ ઊભો થાય છે કે, સમસૂદદિનનો આમાં રોલ શું છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવએ કોથળા તેના ઘરે મોકલવ્યા હતા તે કોથળામાં શું છે તે ઘરધણી સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ જાણતો ન હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જો કે, એટીએસની તપાસમાં હજુ ચોકાવનારી માહિતી સામે આવે તેવું શ્ક્યતા છે






Latest News