મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી


SHARE













મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી

મહાકુંભ પ્રયાગરાજ ખાતે જગતગુરૂ મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 વાસુદેવાઆચાર્યજી મહારાજના સાનિધ્યમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય અનીઅખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા જીથરા (રાજસ્થાન) સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવીને શ્રી શ્રી 1008  મહામંડલેશ્વર પદવી અર્પણ કરવામાં આવી હતી. 

મહાકુંભ પ્રયાગરાજ ખાતે કથાનું અયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મહામંડલેશ્વર પદવીદાન સમયે હાજર રહેલાં મહંતોમાં ભરતદાજીબાપુ, મુકેશબાપુ, ચંદ્રકાંતબાપુ તેમજ રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, ક્રાંતિજયોત મહિલા મંડળ- ટંકારાના ભકતોનો સમાવેશ થાય છે અને મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં ત્યારે બાદ આશ્રમ ખાતે સંતો મહંતો ભકતોની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો અને વાંકાનેર વઢવાણ સીતાપુર કાગદડી સાદુરકા બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો ત્યાં આવ્યા હતા સાથે જ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ,પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, રામાનંદ સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ, તેમજ દરેક જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે મહાપ્રસાદની વ્યવસ્થા  ગોર ખીજડીયા અલધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવી હતી. અને મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,  હસરાજબાપા,  કાંતિભાઈ, બજરંગભાઈ,  ચુનીભાઈ, હસુભાઈ પંડ્યા, અનીલભાઈ મહેતા,   પ્રવિણભાઈ,  રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગ્યાના સેવકોએ જહેમત ઉઠાવી હતી. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી  બનતા સાધુ સમાજ તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે.






Latest News