મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો


SHARE













મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં ગઇકાલે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવરફાળેશ્વર મહાદેવશોભેશ્વર મહાદેવકુબેરનાથ મહાદેવભીમનાથ મહાદેવનીલકંઠ મહાદેવબિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા શિવ મંદિરોમાં ગઇકાલે વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના ભક્તો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવી હતી ગઇકાલે શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવ ભક્તોએ શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જુદાજુદા શિવ મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી હતી. ખાસ કરીને શિવરાત્રીના દિવસે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તોએ ભાવ સાથે મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.






Latest News