મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ


SHARE











માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ

માળીયા (મી)ના સરવડ ગામે યુવાનના ઘર પાસે રહેતો શખ્સ તેના માતા પિતા અને કાકા કાકી ને ગાળો આપી રહ્યો હતો જેથી તે શખ્સને યુવાને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે યુવાન અને સાહેદને ગાળો આપી હતી અને માર મારવાની ધમકી આપી હતી તેમજ યુવાનની કારમાં લાકડાના ધોકા અને પથ્થરના ઘા મારીને કારમાં નુકસાન કર્યું હતું જેથી યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયા (42)હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ રમેશભાઈ ગામ રહે. સરવડ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘર નજીક આરોપી તેના માતા પિતા અને કાકા કાકીને ગાળો આપતો હતો જેથી ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને માર મારવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીએ શેરીમાં પાર્ક કરેલી તેની સ્વીફ્ટ ગાડી નંબર જીજે 3 એફકે 3197 માં લાકડાના ધોકા અને પથ્થરના ઘા ગાડીમાં મારીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શક્તિ ચોક પાસે થોડા દિવસો પહેલા કાર અને બાઈક વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં વિનોદભાઈ ગોપાલભાઈ રાઠોડ (૩૬), જસવંતીબેન વિનોદભાઈ (૩૫), યુવરાજ વિનોદભાઈ (૧૦) અને માનસી વિનોદભાઈ (૦૬) ને ઇજાઓ થઈ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ધ્રુવરાજસિંહ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અસ્મિતાબેન વિજયભાઈ ભોજવીયા નામની ૨૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ ગયા હોય તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલએ અને ત્યાંથી વધુ સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી કારણ અંગેની તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના ભવાની ચોક નજીક અજીમશા હુસેનશા ફકીર (૨૦) નામના યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધી હોય સારવાર માટે દવાખાને ખસેડાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News