હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના ચામુડાનગરમાં વીજ ધાંધિયાનું કાયમી નિવારણ લાવવા લોકોની માંગ


SHARE













મોરબી શહેરમાં સોઓરડીની પાસે આવેલી ચામુડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે જેના કારણે લોકોના ઘરની અંદર ઇલેક્ટ્રીક ઉપકરણોમાં નુકસાની થાય છે જેથી કરીને તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે માટે સ્થાનિક લોકો દ્વારા વીજ કંપનીના અધિકારીને લેખિત રજૂઆત કરીને વીજ ધાંધિયા દૂર કરવા માટે થઈને માંગ કરવામાં આવી છે.

મોરબીના ચામુડાનગર વિસ્તારમાં રહેતા લોકો દ્વારા પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે જેથી અવારનવાર લાઈટ જતી રહે છે અને લો વોલ્ટેજના કારણે ઘણી વખત લોકોના ઘરની અંદર મૂકવામાં આવેલ ટીવી ફ્રીજ એસી મોટર, પંખા, એસી, ટ્યુબ લાઇટ વગેરે જેવા વીજ ઉપકરણોમાં નુકસાની થાય છે અથવા તો તે બળી જાય છે જેથી લોકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે આટલું નહીં પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલી પડે છે તેની સાથે કોઈ ઘરની અંદર જો બીમાર વ્યક્તિ હોય તો તેઓને પણ વીજ પુરવઠો ખોરવાઈ એટલે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને તેઓને ગ્રામ્ય ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે તેમાં ટેકનિકલ જે કોઈ ખામી હોય તે દૂર કરીને વીજ પુરવઠો નિરંતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News