હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો


SHARE













મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો

મોરબીના કડવા કન્યા કેળવણી મંડળ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પાટીદાર કેરિયર એકેડમી ચલાવવામાં આવે છે. જેમાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં પાટીદારના 23 જેટલા યુવાન ભાઈઓ બહેનોજીપીએસસી ક્લિયર કરીને સરકારી મહેકમમાં સમાવિષ્ટ થયેલ છે. અને ઈમ્પોર્ટ એક્સપોર્ટના ક્લાસીસમાં 135 ભાઇ-બહેનોએ તાલીમ પ્રાપ્ત કરી પોત પોતાના વ્યવસાય કરી રહ્યા છે. દરમ્યાન સેવામાં વધારો કરતાં મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો છે.

મોરબીમાં કડવા પાટીદાર પરિવારના વિદ્યાર્થીઓ અને યુવાનોને EWS પ્રમાણપત્ર, જાતિના પ્રમાણપત્ર, આવકના પ્રમાણપત્ર, ધો.12 પછીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, આયુષ્યમાન કાર્ડ,વ્હાલી દિકરી યોજના,વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય, મહિલા સ્વાવલંબન યોજના, રેશનકાર્ડને લગતી કામગીરી વગેરેની અરજી કરી આપવા માટે તેમજ બિન અનામત આયોગની વિવિધ યોજનાની જાણકારી આપવા માટે "પાટીદાર જનસેવા કેન્દ્ર"નો શુભારંભ કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. તેની સાથે જીપીએસસી ક્લિયર કરેલ તાલીમાર્થીઓનું સરદાર પટેલની પ્રતિકૃતિથી મહાનુભાવોના હસ્તે આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાટીદાર જન સેવા કેન્દ્ર માટે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું,

આ સમારોહમાં પ્રમુખ બેચરભાઈ હોથી, કેરિયર એકેડમીમાં તેજ બાંણુંગારીયા, મનોજભાઈ પનારા, ડો.મનુભાઈ કૈલા, સંસ્થાના ચેરમેન એ.કે.પટેલ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા વગેરેએ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સમજલક્ષી સેવકાર્યોને વધાવ્યા હતા, આ કાર્યક્રમમાં વરસતા વરસાદમાં પણ ખુબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ, પરેશભાઈ મોરડીયા, અરૂણભાઈ, શિતલબેન, રશ્મિબેન વિરમગામા જનસેવા કેન્દ્રના કો.ઓર્ડિનેટર તેમજ તમામ ટ્રસ્ટી વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News