હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

ટંકારા મોરબી હાઇવે રોડના ખાડામાં બુરવા માટે તંત્રને મહેશ રાજકોટિયાનું એક સપ્તાહનું અલ્ટીમેટમ


SHARE













ટંકારા મોરબી હાઇવે રોડના ખાડામાં બુરવા માટે તંત્રને મહેશ રાજકોટિયાનું એક સપ્તાહનું અલ્ટીમેટમ

ટંકારાથી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પિઠ જેવી થઈ જતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ટંકારા કોંગ્રેસના કદાવર નેતા મહેશ રાજકોટિયાએ ટંકારા મોરબી હાઇવે રોડના ખાડા બુરવા માટે તંત્રને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો કામ નહીં કરવામાં આવે તો કચ્છને જોડતા હાઇવેને ચક્કાજામ કરવામાં આવશે.

વધુમાં મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, આ રોડના ઈન્ચાર્જ રાજકોટ ડિવિઝનના એસ.આર. પટેલનો સંપર્ક કરીને રોડની હાલની સ્થિતિની માહિતી તેમણે આપવામાં આવી હતી અને આ રોડ તાત્કાલિક એક અઠવાડિયામાં પેચવર્ક કરીને ચાલવા લાયક બનાવવા માટેની રજૂઆત કરી છે અને જો કોઈ બાના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો નાછુટકે તેઓની ટિમ દ્વારા કચ્છને જોડતો રાજકોટ મોરબી રોડ બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે, ઈન્ચાર્જ ઈજનેર એસ.આર.પટેલે જણાવ્યુ હતું કે, તાકીદે કોન્ટ્રાક્ટરને ફ્લો વર્ક કરી અઠવાડિયામાં પ્લાન ચાલુ કરવા અને જરૂરી પેચવર્ક કરવા આદેશ આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી વાવડી ચોકડી, પીપળીયા ચોકડી, દલવાડી સર્કલ, શનાળા ચોકડી, લજાઈ ચોકડી, ટંકારા ચોકડી ઉપર ખાડા છે ત્યારે લોકોને શરરિક અને આર્થિક નુકશાન થાય છે. તેમજ ટ્રાફિક જામ થાય છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો ત્યાં પણ ખાડા બુરવા માટે કામ નહિ કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.






Latest News