હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

નરેન્દ્રભાઈ મોદી @75: મોરબી નજીક બની રહેલ નમો વનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે


SHARE













નરેન્દ્રભાઈ મોદી @75: મોરબી નજીક બની રહેલ નમો વનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 17 સપ્ટે.ના રોજ જુદાજુદા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે જો કે, મોરબીમાં પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીન ઉપર મોરબીના ધારાસભ્ય દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું 'નમો વન' મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. જેનો આગામી બુધવારે કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેશે અને તેઓના હસ્તે 'નમો વન' પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.

આગામી 17, સપ્ટે. 2025 બુધવારના રોજ ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ્રત્યેક ભારતીય એવું ઈચ્છી રહ્યો છે કે તેમનો આ પ્લેટીનમ બર્થ ડે વિશેષ સેવા કાર્યથી ઉજવવો જોઈએ અને એ પ્રકારે થવાનું જ છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિશિષ્ટ આયોજન કર્યું છે. અને પર્યાવરણની રક્ષા માટે, જંગલો વધે અને પ્રકૃતિનું ચક્ર સારી રીતે ચાલે એ માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધર્યું છે. અને ખાસ કરીને મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં મચ્છુ -2 ડેમની બાજુમાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું 'નમો વન' મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. 17 સપ્ટે. 2025 બુધવારના રોજ રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે અને તેઓના હસ્તે 'નમો વન' પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે. અને નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં 7500 પ્રજાજનો-કાર્યકરોની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન યોજાશે. 






Latest News