મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાં પાણી પીવા માટે ગયેલ યુવતીનો અકસ્મતે પગ લાપસી જતા તે કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના મયાપુર ગામના રહેવાસી અને હાલમાં નવા ઇસનપુર ગામે રહેતા આશિષભાઈ વશરામભાઈ જાદવની 18 વર્ષની દીકરી વિધિબેન સાંજના સમયે વાડીએથી ઘરે પરત આવી રહી હતી ત્યારે રસ્તામાં જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામ વચ્ચે આવેલ કેનાલમાં પાણી પીવા માટે તેને ગઈ હતી દરમિયાન અકસ્માતે તેનો પગ લપસતા તે કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે વિધિબેન જાદવનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવતીના પિતા આશિષભાઈ જાદવ (42)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી ગામ પાસે આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા વિજયાબેન કાનજીભાઈ સરસાવાડીયા (81) નામના વૃદ્ધા રિક્ષામાં જતા હતા ત્યારે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રફાળેશ્વર નજીક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમૃતભાઈ કટારીયા (36) અને રાજલ અમૃતભાઈ કટારીયા (13) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 






Latest News