મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું મોરબીની સબ જેલમાં બકરી ઇદ ઉજવાઇ મોરબીના વીરપર-લીલાપર વચ્ચે નવા બનેલા રોડને તોડીને બાંધકામ શરૂ કરાયું ! વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું ગોરખધંધા: મોરબીમાં વાહન ચેકિંગ દરમ્યાન બનાવટી પ્રેસ કાર્ડનો પર્દાફાશ, વેચાતું પ્રેસ કાર્ડ લેનાર-આપનારની સામે ગુનો નોંધાયો મોરબીના વિરાટનગર પાસે અજાણ્યા ચાર શખ્સોએ નજીવી વાતમાં યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો: ઢીકાપાટુ-ધોકાથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો


SHARE











વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અકને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર ઉતરપ્રદેશના રહેવાસી યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તે અહીંથી વતનમાં રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક ટેન્શનમાં રહેતા આ  યુવાનને મનોમન લાગી આવતા તેણે કારખાનાની પાછળના ભાગમાંથી પસાર થતાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ અમરનાથ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રામલોચન સુબેદારભાઈ રાજપુત (32) નામના યુવાને કારખાનાની પાછળના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર રેલવેના કર્મચારી કરણસિંહ જયવંતસિંહ જાડેજા (26)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્મતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રામલોચન રાજપૂતના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને વતનમાં તે રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક સ્ટેશનમાં રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા આ યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી દીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News