મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો


SHARE







વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અકને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર ઉતરપ્રદેશના રહેવાસી યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તે અહીંથી વતનમાં રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક ટેન્શનમાં રહેતા આ  યુવાનને મનોમન લાગી આવતા તેણે કારખાનાની પાછળના ભાગમાંથી પસાર થતાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ અમરનાથ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રામલોચન સુબેદારભાઈ રાજપુત (32) નામના યુવાને કારખાનાની પાછળના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર રેલવેના કર્મચારી કરણસિંહ જયવંતસિંહ જાડેજા (26)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્મતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રામલોચન રાજપૂતના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને વતનમાં તે રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક સ્ટેશનમાં રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા આ યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી દીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News