વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો
SHARE
વાંકાનેરના ઢુવા નજીકનો બનાવ: ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય યુવાને ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો
વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અકને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર ઉતરપ્રદેશના રહેવાસી યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તે અહીંથી વતનમાં રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક ટેન્શનમાં રહેતા આ યુવાનને મનોમન લાગી આવતા તેણે કારખાનાની પાછળના ભાગમાંથી પસાર થતાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો
મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ અમરનાથ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રામલોચન સુબેદારભાઈ રાજપુત (32) નામના યુવાને કારખાનાની પાછળના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર રેલવેના કર્મચારી કરણસિંહ જયવંતસિંહ જાડેજા (26)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્મતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રામલોચન રાજપૂતના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને વતનમાં તે રૂપિયા મોકલી શકતો ન હતો જેથી માનસિક સ્ટેશનમાં રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા આ યુવાને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂકીને આપઘાત કરી દીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.