મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ


SHARE











હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ

અધિક જેઠ સુદ છઠ્ઠથી અધિક જેઠ પુનમ સુધીનો વિશ્વ હિંદુ પરિષદ- કર્ણાવતી ક્ષેત્ર દ્વારા પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ સૌરાષ્ટ્ર પ્રાંતના મોરબી જિલ્લાના હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે શરૂ થયેલ છે. અને ઉદ્ધાટન સત્રમાં હળવદના સંત પ્રભુચરણ દાસજી મહારાજ, વિહીપના અખિલ ભારતીય ધર્મ પ્રસાર સહ પ્રમુખ આનંદજી ગોયલ, વિહીપના કર્ણાવતી ક્ષેત્રીય સહ પાલક અશોકજી રાવલ, કર્ણાવતી ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટન સત્રનું બૌદ્ધિક આનંદજી ગોયલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગમાં કર્ણાવતી ક્ષેત્ર એટલે કે વિશ્વ હિંદુ પરિષદ ના ત્રણેય પ્રાંત (સૌરાષ્ટ્ર પ્રાંત, ઉતર ગુજરાત પ્રાંત તથા દક્ષિણ ગુજરાત પ્રાંત) ના કાર્યકર્તા જોડાયા છે. વર્ગના પ્રમુખ તરીકે મુકેશભાઈ ગોર અને પાલક તરીકે ભાવેશભાઈ ઠક્કર માર્ગદર્શન કરી રહ્યાં છે.






Latest News