મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ !  મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ
Breaking news
Morbi Today

હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ


SHARE











હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ

અધિક જેઠ સુદ છઠ્ઠથી અધિક જેઠ પુનમ સુધીનો વિશ્વ હિંદુ પરિષદ- કર્ણાવતી ક્ષેત્ર દ્વારા પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ સૌરાષ્ટ્ર પ્રાંતના મોરબી જિલ્લાના હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે શરૂ થયેલ છે. અને ઉદ્ધાટન સત્રમાં હળવદના સંત પ્રભુચરણ દાસજી મહારાજ, વિહીપના અખિલ ભારતીય ધર્મ પ્રસાર સહ પ્રમુખ આનંદજી ગોયલ, વિહીપના કર્ણાવતી ક્ષેત્રીય સહ પાલક અશોકજી રાવલ, કર્ણાવતી ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટન સત્રનું બૌદ્ધિક આનંદજી ગોયલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગમાં કર્ણાવતી ક્ષેત્ર એટલે કે વિશ્વ હિંદુ પરિષદ ના ત્રણેય પ્રાંત (સૌરાષ્ટ્ર પ્રાંત, ઉતર ગુજરાત પ્રાંત તથા દક્ષિણ ગુજરાત પ્રાંત) ના કાર્યકર્તા જોડાયા છે. વર્ગના પ્રમુખ તરીકે મુકેશભાઈ ગોર અને પાલક તરીકે ભાવેશભાઈ ઠક્કર માર્ગદર્શન કરી રહ્યાં છે.






Latest News