હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા મોરબી સરતાનપર રોડે બાંધકામ સાઈટ ઉપર ઊંચાઈએથી પડી જતા યુવાનનું મોત મોરબીમાં નજીવી વાતમાં બે યુવાન ઉપર ચાર શખ્સોએ ધારિયા, કુહાડી અને ધોકાથી કર્યો હુમલો: એક યુવાનની આંગળી કપાઈ ગઈ વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ યુવાનના પિતા ઉપર કર્યો પાઇપ વડે હુમલો મોરબીની સબ જેલમાંથી જડતી સ્કવોર્ડની ટીમે વધુ એક મોબાઈલ શોધી કાઢ્યો: અગાઉ મળેલા 3 મોબાઈલની તપાસ ઠેરની ઠેર! વાંકાનેરના હસનપર ગામે જુગારની રેડમાં 6 શખ્સો 1.09 લાખની રોકડ સાથે પકડાયા, એકની શોધખોળ
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા


SHARE











માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારનું કોઈ કારણસર ટાયર ફાટ્યું હતું જેથી  અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં યુવાન અને તેના માતા પિતાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેનો સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યાવહી કરેલ છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી કાર પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર ઓનેસ્ટ હોટલ નજીક કારનું ટાયર ફાટ્યું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં રામલાલ મેઘવાલ (70), ગણેશીબેન મેઘવાલ (68) અને ખેમરાજભાઈ રામલાલભાઈ મેઘવાલ (35) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના વેજીટેબલ રોડ ઉપર રહેતા અનવર નુરાઅલીભાઈ કાજેડીયા (22) નામના યુવાનને ગેંડા સર્કલ નજીક કોઈ અજાણ્ય વ્યક્તિએ ડાબા કાન ઉપર ફડાકો મારતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા દયાબેન રમણીકભાઈ પરમાર (40) નામના મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા ભારતીબેન રમેશભાઈ સોલંકી (22) નામની મહિલા કોઈ કારણોસર માનસિક રોગની વધુ પડતી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News