મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE







માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત

માળીયા (મી)ના મોટા દહીસરા ગામથી બુઢિયાળી જતા રસ્તા ઉપર મંદિર સામેથી આધેડ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં આધેડને માથામાં હેમરેજ થયું હતું જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ભરતસિંહ દાદુભા જાડેજા (51) નામના આધેડ ગત તા. 24/4 ના રોજ મોટા દહીસરા ગામથી બુઢિયાળી જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી પોતાનાનું બાઈક નંબર જીજે 36 ડી 3399 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ભરતસિંહ જાડેજાને માથામાં હેમરેજ થયું હતું માટે ઇજા પામેલા આધેડને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરા ઓમદિપસિંહ જાડેજા (21) રહે. મોટા દહિસરા વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News