મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ


SHARE











હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ

બ્રહ્માકુમારીઝ દ્વારા બિલિયન મિનટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ (મહા શાંતિદાન) અંતર્ગત સમગ્ર ગુજરાત ઝોનમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરેલ હતું.જે અનુંસંધાને હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા પણ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયેલ હતું.જેનો ઉદેશ શાંતિનું મહત્વ સમજાવી વિશ્વમાં ચાલી રહેલ અશાંતિ અરાજકતા તણાવ કારભારનો બોજ વગેરેમાં શાંતિ દાન (સકારાત્મક વિચારોનું ચિંતન) તન મનને દુરસ્ત તેમજ જીવનને નવી ઉર્ઝા પ્રદાન કરે છે.સાથે સાથે સુખ પહેલા શાંતિ મહત્વની છે જે માટે આત્મિકચિંતન જ સાચી રાહ આપે છે.તો શાંતિના દિવ્ય સંદેશ સાથે યોજાયેલ આ પદયાત્રામાં શાંતિમય ગીતો સાથે સર્વને આત્મા પરમાત્મા અને પરમધામનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં બ્રહ્માકુમારી સેવાકેન્દ્રના સંચાલિકા સહિત સર્વે સેવાધારીએ સામેલ થઇને આ દિવ્ય શાંતિદાન સંદેશ માટે નિમિત્ત બન્યા હતા તથા સર્વે આત્માઓને આ નિઃશુલ્ક શાંતિદાન કાર્યક્રમમાં જોડાવા ઈશ્વરીય નિમંત્રણ આપેલ છે






Latest News