મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું


SHARE











પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું

સંસ્કૃત ભાષાના વિકાસ માટે સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના સહકારથી રાજયમા 'યોજનાપંચકમ્ ' અમલમાં મુકાયું છે. જેના અંતર્ગત ગીતા તથા સુભાષિતોના જ્ઞાનને પ્રોત્સાહન આપવામા આવી રહ્યુ છે. આ યોજનામાં 100 સુભાષિતો યાદ કરનારને ' शतसुभाषितपंडित:' એવોર્ડ આપવામાં આવે છે.

આ વર્ષે રાજયભરમાંથી 100 જેટલા પ્રતિભાશાળી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળાના શિક્ષિકા એવા વીણાબેન મેહુલભાઇ દલસાણિયા (દેસાઈ)એ સ્પર્ધામાં ભાગ લઇ સફળતા મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર સ્થિત લોકભવનમાં આયોજિત રાજય કક્ષાના સમારોહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સરના હસ્તે વીણાબેન દલસાણિયા (દેસાઈ)ને ' શત સુભાષિત પંડિત ' જેવી પ્રતિષ્ઠિત ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.






Latest News