મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક


SHARE







વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક

મોરબી જિલ્લામાં વિકાસના નામે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાંથી વધુ 9 નવી વિજલાઇનો પસાર થવા જઇ રહી છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાંથી પસાર થનારી ત્રણ હેવી વિજલાઇન મામલે ખેડૂતો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિજલાઇનોના કારણે ખેડૂતોની માઠી બેસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અંદાજે 10 જેટલા ગામોમાંથી આ હેવી વિજલાઇન પસાર થવાની છે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં જ શરુ કરી દેવામાં આવનાર છે. વિજલાઇનના ટાવરો અને વાયરો ખેતરોમાંથી પસાર થવાના કારણે ખેડૂતોની મહામૂલી જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ ગંભીર મુદ્ાને લઇને ખેડૂત આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જો કે આ બેઠકમાં કોઇ સંતોષકારક ઉકેલ આવી શક્યો નથી. તંત્ર દ્વારા જે વળતરની જાહેરાત  કે વાત કરવામાં આવી છે તેનાથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનના બદલામાં મળનારુ વળતર ખૂબ જ ઓછું છે અને તેનાથી લાંબા ગાળે ખેતીને મોટુ નુકશાન જશે. બેઠક બાદ ખેડૂત આગેવાનોના વલણ પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેઓ આ અન્યાય સામે ઝુકવા તૈયાર નથી.

જો આગામી દિવસોમાં વળતરની રકમ બાબતે યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. વિકાસના નામે ખેડૂતોના ભોગે લેવાતા નિર્ણયો સામે હવે ગ્રામીણ વિસ્તારોમાં રોષનો જવાળામુખી ફાટવાની તૈયારી છે






Latest News