ટંકારાના નસીતપર ગામે જુગાર રમતા 6 શખ્સો 1.21 લાખના મુદામાલ સાથે પકડાયા માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ અષાઢી બીજ: સાંસદ કચ્છ કાર્નિવલ નિમિતે વિનોદભાઈ ચાવડાની હાજરીમાં વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે વાડી પાસે જુગાર રમતા 5 શખ્સો 1.05 લાખની રોકડ સાથે પકડાયા અધીકારી-કોન્ટ્રાકટરની બેદરકારીએ જીવ લીધો: મોરબીના પીપળી રોડ ઉપર બાઈક ખાડામાં પડતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ


SHARE







મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય (કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પસંદગી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક ઉત્કૃષ્ટ તક છે.

આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવાર ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં મોરબી જિલ્લાની કોઈપણ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૫ માં નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ, તેમજ તેનો જન્મ ૦૧-૦૫-૨૦૧૫ થી ૩૧-૦૭-૨૦૧૭ ની વચ્ચે થયેલો હોવો અનિવાર્ય છે. આ પરીક્ષા માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય સમિતિના અધિકૃત પોર્ટલ www.navodaya.gov.in પર જઈને અથવા સત્તાવાર જાહેરાતના QR કોડને સ્કેન કરીને આગામી તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધીમાં નિઃશુલ્ક ફોર્મ ભરી શકે છે. આ પ્રવેશ પરીક્ષા તા. ૨૮-૧૧-૨૦૨૬ ના રોજ યોજાશે અને તેનું સંભવિત પરિણામ માર્ચ/એપ્રિલ ૨૦૨૭ માં જાહેર કરવામાં આવશે. આ નિવાસી શાળામાં ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણની સાથે-સાથે રહેવા, ઉત્તમ ભોજન, પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ સહિતની તમામ પાયાની સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે. સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન લેબોરેટરી અને રમતગમતની સુવિધાઓથી સજ્જ આ સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રીય એકતાની ભાવના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. મોરબી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.






Latest News