મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત
SHARE
મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત
મોરબીના વીસીપરા મેઇન રોડની હાલત અત્યંત દયનીય છે અને ત્યાં ગારો ખીચડનું સામ્રાજ્ય હોવાના કારણે ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે જેથી સ્થાનિક લોકોને સાથે રાખીને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે મોરબી મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે રોડ ઉપરથી ગારો ખીચડ અને ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 માં આવતા વિસ્તારની અંદર રોડ રસ્તા ગટર પાણીની તમામ વ્યવસ્થાઓ ખાડે ગઈ છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે મીયાણા સમાજના પ્રમુખ ભટ્ટી હુસેનભાઇ બચુભાઈની આગેવાની હેઠળ કોંગ્રેસના તમામ આગેવાનોને સાથે રાખીને સ્થાનિક લોકો દ્વારા મોરબી મહાપાલિકાના મેયર અને કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, વોર્ડ નં. 2 ના વીસીપરા વિસ્તારમાં મેઇન રોડ ઉપર ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છે જેથી કરીને અવારનવાર વાહનો સ્લીપ થતા હોય છે અને ત્યાં અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આ વિસ્તારની અંદર ઘણી જગ્યાએ ભૂગોભ ગટરના ખોદકામના કારણે રસ્તાઓની હાલત દયાનીએ છે અને અનેક જગ્યાએ રસ્તા ઉપર ખાડા ખોદીયા પછી બાદ માટીના ઢગલા પડ્યા છે જેથી લોકોને રસ્તા ઉપરથી પોતાના જીવના જોખમે પસાર થવું પડે તેવો ઘાટ સર્જાયેલ છે જેથી કરીને આ વિસ્તારની અંદર લાઈટ પાણી રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટેના કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે કોંગ્રેસના આગેવાન રાજુભાઈ કાવર, વસીમભાઈ મન્સુરી સહિતના હાજર રહ્યા હતા.