મોરબીના ખરેડા ગામે કૂતરાએ બચકાં ભરી લેતા 4 વર્ષના બાળકનું મોત​​​​​​​  વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીની આર્ટસ કોલેજમાં NSSના સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાનીમાં શનિવારે રાતે કિસાન સંમેલન મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ સંકલનની બેઠકમાં રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીના નિકાલ માટે આવી રજૂઆતો કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી


SHARE







મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી
શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘનાના આંગણે તા.૧૯ ને રવિવારે ચાતુર્માસ કરવા પધારેલ લીમડી અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ.પૂ.ગુરૂદેવ શ્રી નિરંજન મુનીજી તથા પૂ.ગુરુદેવ શ્રી ચેતન મુનિજી (બંધુ બેલડી) તેમજ પૂ.શ્રી કોમલકુમારી મહાસતીજી અને પૂ. શ્રી એકતાકુમારીજી મહાસતીજીનું અમૂલ્ય ચાતુર્માસ પ્રાપ્ત થયું છે.પૂ.ગુરૂદેવ ૩૭ વર્ષે મોરબી ચાતુર્માસ કરવા પધારેલ હોઈ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદ ની લાગણી ફેલાયેલી છે.
 
પૂ. ગુરુદેવનો પ્રવેશ સંઘના ઉપપ્રમુખ ઉર્મિલાબેનના નિવાસ સ્થાનેથી (મહેન્દ્રડ્રાઈવ રોડ) સવારે ૮.૦૦  કલાકે પ્રસ્થાન કરી ૮.૩૦ કલાકે શ્રી સ્થા. જૈન સંઘ સોની બઝાર ઉપાશ્રયમાં પધારશે.ત્યારબાદ વિશાશ્રી માળી વણિક વાડીમાં ધાર્મિક કાર્યક્રમો બાદ વ્યાખ્યાન માંગલિક ફરમાવશે.પૂ. મહાસતીજીઑનો મંગલ પ્રવેશ કાર્યક્રમ તા.૨૦ ને સોમવારે સવારે ૭.૩૦ કલાકે સોની બઝાર ઉપાશ્રયથી પ્રસ્થાન કરી શ્રી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળામાં જય નાદ સાથે ૮.૧૫ કલાકે પધારશે.ઉપરોકત કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓને પધારવા બંને સંઘની એક યાદીમાં જણાવેલ છે.





Latest News