માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી : નવયુગ સંકુલમાં કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન


SHARE











મોરબી : નવયુગ સંકુલમાં કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન

મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે બા ની વાડી પાછલા આવેલ નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને ડાયરેક્ટર હાજર રહેવાના છે ત્યારે તારીખ ૭/૭ ના રોજ રાખવામા આવેલી આ મિટિંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓને હાજર રહેવા અનુરોધ કર્યો છે

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં ઝડપી વેકસીનેશન થાય અને રાજયમાં દરેક નાગરીક વેકસીન લે તે માટે સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્વારા વેકસીનેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો કોરોનાની આ મહામારીમાં રક્ષણ મેળવે તે માટે કોરોના વેકસીનેશન અભિયાન કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલ છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં વેકસીનેશન અભિયાનના સંદર્ભમાં એક મીટીંગનું આયોજન કરવામાં અવાયું છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી.ના ડાયરેક્ટર ડો. ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહેવાના છે આ મિટિંગ મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે બા ની વાડી પાછલા આવેલ નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે તારીખ ૭/૭ ના રોજ રાખવામા આવી છે અને મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓને આ મીટીંગમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News