કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા


SHARE













મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા

મોરબીના માળીયા ઉપર ગોઝારો વાહન અકસ્માતના બનાવો બન્યો હતો જેમાં કચ્છમાં માતાજીનો હવનમાંથી લોહાણા પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે એક જ પરિવારના ચાર સભ્યો અને અન્ય એક એમ કુલ મળીને પાંચ વ્યકટીના મોત નિપજ્યાં છે ત્યારે તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની સરકારે જાહેરાત કરી છે તેવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે

કચ્છના કટારીયા ગામે રવેશિયા પરિવારનો માતાજીનો યજ્ઞ હોય તે નિમિતે રાજકોટ, મોરબી સહીતની જગ્યાએથી રવેસીયા પરિવારના લોકો કચ્છ ગયા હતા.જેમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયા તેમજ તેના બનેવીનો પરિવાર જુદીજુદી કારમાં ત્યાં ગયો હતો અને ત્યાથી તેના બનેવીની કારમાં પિયુષભાઈના માતા-પિતા તેમજ તેમના બેન-બનેવી અને ભાણેજ એમ પાંચ લોકો મોરબી પરત આવી રહ્યા હતા ત્યારે માળીયા હાઇવે ઉપરના રોટરીનગર ગામ પાસે તેઓના બનેવીના કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે તેમજ સામેના વાહનમાં બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોના મોત નિપજતા આ બનાવની તાત્કાલિક  સરકારને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા જાણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોહાણા પરિવારને સંતાવના પાઠવીને તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે તેવું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે






Latest News