કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

એસટીની બલિહારી: મોરબીના જૂના બસ સ્ટેશનથી જામનગર સુધીની બસમાં કિલોમીટર-ભાડામાં તફાવત !


SHARE













એસટીની બલિહારી: મોરબીના જૂના બસ સ્ટેશનથી જામનગર સુધીની બસમાં કિલોમીટર-ભાડામાં તફાવત !

સામાન્ય રીતે કોઈ એક શહેરથી બીજા શહેર જવા માટેનું અંતર એક જ સમાન હોય છે પરંતુ એસ.ટી. વિભાગ દ્વારા એક જ સેન્ટર ઉપરથી બીજા સેન્ટર જવા માટે અલગ-અલગ એસટી ડેપોની બસોને દોડાવવામાં આવે છે તેમાં અલગ-અલગ કિલોમીટર દર્શાવવામાં આવે છે અને ભાડું પણ અલગ-અલગ વસૂલવામાં આવે છે જેથી કરીને મુસાફરોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે અને આવી જ ઘટના મોરબીની અંદર આવી છે જેમાં મોરબીથી જામનગર સુધી જવા માટેનું અંતર એસટીની જુદી જુદી બે બસોમાં અલગ અલગ બતાવવામમાં આવે છે અને ભાડું પણ તે મુજબ અલગ-અલગ વસૂલવામાં આવે છે

મોરબીથી જામનગર જવા માટે મોરબીથી એસટી બસો દોડાવવામાં આવે છે તે ઉપરાંત વડનગર અને ભુજ ડેપોની બસ પણ મોરબી થઈને જામનગર તરફ જતી હોય છે ત્યારે આ બસની અંદર એક જ સેન્ટર એટલે કે જૂના બસ સ્ટેન્ડથી જામનગર સુધીનું અંતર અલગ અલગ એસટી ડેપોની બસમા અલગ અલગ દર્શાવવામાં આવી રહ્યું છે જેથી કરીને હાલમાં મુસાફરો પણ મૂંઝવણમાં મૂકાયેલા છે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જૂના બસ સ્ટેન્ડથી જામનગર સુધી વડનગર ડેપોથી આવતી બસ જાય છે તેમાં ૧૧૮ કિલોમીટર અંતર દેખાડવામાં આવે છે અને તેનું ભાડું ૯૮ રૂપિયા લેવામાં આવે છે જો કે, ભુજથી જામનગર તરફ જતી બસની અંદર મોરબીના જૂના બસ સ્ટેન્ડથી જામનગર જતી બાદમાં અંતર ૧૦૬ કીલોમીટર બતાવે છે અને ભાડું ૯૬ રૂપિયા લેવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મોરબીના જૂના બસસ્ટેન્ડથી ઉપડતી બસની અંદર જામનગર સુધી પહોંચવાના અંતરમાં આટલો બધો તફાવત કેમ આવી રહ્યો છે અને આ તફાવતને કારણે મુસાફરોની ટિકિટમાં પણ વધારે રૂપિયા આપવા પડે છે ત્યારે ક્યાંકને ક્યાંક એસટી વિભાગની બેદરકારીને કારણે મુસાફરોને વધુ ટિકિટ આપવી પડતી હોય તેવો ઘાટ જોવા મળ્યો છે જેથી કરીને એસ.ટી વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માગણી મુસાફરોએ વ્યક્ત કરી છે 






Latest News