મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં નાહવા પડેલ યુવાન બે દિવસથી ગુમ, તપાસ ચાલુ
મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલી સાથે મિટિંગ યોજાઈ
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલી સાથે મિટિંગ યોજાઈ
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે RTE અંતર્ગત ધો. ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓની સ્વાગત પરિચય બેઠક યોજવામાં આવી હતી અને આ રીતની આદર્શ પહેલનું આ ચોથું વર્ષ છે પ્રવુતિ શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ માટે જાણીતી સામાંકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં આજ રોજ RTE મિટિંગનો હેતુ ખૂબ જ ઉમદા હતો આ શાળામાં અભ્યાસકાર્ય સાથે સંકળાયેલ શિક્ષિકા બહેનો ,શાળાનો સ્ટાફ અને વાલીઓનો અરસપરસ પરિચય કરાવ્યા બાદ શાળાની તમામ બાબતોથી વાલીઓને અવગત કરવામાં આવ્યા હતા આ તકે શાળાના સંચાલક કિશોરભાઈએ મિટિંગને વાલી સાથે આત્મીયતા કેળવવામાં મહત્વની કડી ગણાવી હતી. અને ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ અંબારિયા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ મીરબીની એક માત્ર સ્કૂલ કે, જે આ રીતે આરટીઇના વાલીઓ માટે આ વિશેષ પ્રયત્નો કરે છે આ તકે ડીપીઇઓ સાથે આરટીઇ નોડલ ઓફિસર અશોકભાઈ વડાલીયા તેમજ આશીશભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.