RSS ના સર સંઘ ચાલક મોહન ભાગવત મોરબીથી રાજકોટ થઈને દિલ્હી જવા માટે રવાના
મોરબીના ઉદ્યોગકારો સાથે થતાં ફ્રોડ રોકવા સીટની રચના કરાશે
SHARE
મોરબીના ઉદ્યોગકારો સાથે થતાં ફ્રોડ રોકવા સીટની રચના કરાશે
મોરબીમા સીરામીક ઉદ્યોગ આજે ભારતનુ ૯૫ % ટાઈલ્સ અને સેનેટરીવેરનુ ઉત્પાદન કરે છે ત્યારે આ કલ્સ્ટરમા આવતી અનેક સમસ્યામાની સૌથી મોટી સમસ્યા સીરામીક ઉદ્યોગકારોને ટાઈલ્સ ઉત્પાદન કરીને દેશના અલગ અલગ રાજ્યોમા કરતા વેચાણમા અમુક વેપારીઓ માલ લઈને પેમેન્ટ ખોટા કરે છે તેમજ દિવસે દિવસે વઘતી જતા ફ્રોડને કારણે નાણા ફસાઈ જતા હોય છે ત્યારે તે બાબતમા ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા મોરબી સીરામીક એસો.ના પ્રમુખો ગાંઘીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને સીટની રચના કરવા માટે રજુઆત કરવામાં આવી હતી અને તેના અનુસંઘાને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવને મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા અને કિરીટભાઈ પટેલ મળીને સીટની રચના કરવા માટે મિટીંગ મળી હતી