વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી ગટરની ગંદકી દૂર કરવાની માંગ
મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે
SHARE
મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે
મોરબી ૩૦ ઓકટોબર ૨૦૨૨ ના દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને તેને બ્લેક રવિવાર તરીકે લોકોએ કહે છે અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજયાં હતા અને આ લોકો તેના પરિવારજનો સાથે ઝૂલતા પુલે ફરવા માટે આવ્યા હતા ત્યારે તેને કાળનો ભેટો થઈ ગયો હતો
જેથી કરીને અકાળે મોતનો કોળિયો બની ગયેલા આ ૧૩૫ લોકોના મોક્ષર્થે માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની બીજી માસિક પુણ્યતિથી ૩૦ ડિસેમ્બરના રોજ દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ વિશ્વકર્મા સોસાયટી મંદિરના મેદાનમાં નીલકંઠ સ્કૂલ સામેની શેરીમાં રવાપર રોડ ખાતે બપોરે ૩ થી ૫ દરમ્યાન રાખેલ છે જેમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવવા અનુરોધ કરવામાં આવેલ છે