મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે
વાંકાનેરના ભલગામમાં ખેતરમાં ગાય ચરાવનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો
SHARE
વાંકાનેરના ભલગામમાં ખેતરમાં ગાય ચરાવનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો
વાંકાનેર તાલુકાના ભલગામમાં ખેતરમાં ગાયને ચરાવવા માટે લઈ ગયેલા શખ્સને સમજાવવા માટે ગયેલ યુવાનને ત્રણ શખ્સો દ્વારા ગાળો આપીને બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારે તેને છુટા પથ્થરનો ઘા ઝીકિને મોઢા અને આંખના ભાગે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા ભુપતભાઈ કેશાભાઈ ભાલીયા (૪૫) એ હાલમાં વિહાભાઈ રૂખડભાઈ ભરવાડ, મોમૈયાભાઈ ધનાભાઈ સુસરા અને ગોપાલભાઈ મોમૈયાભાઈ સુસરા રહે ત્રણેય ભલગામ વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના ભાઈના ખેતરમાં મોમૈયાભાઈ ધનાભાઈ સુસરા તેની ગાય ચરાવવા માટે ગયા હતા જે બાબતે તેઓ મોમૈયાભાઈ અને તેના દીકરા ગોપાલભાઈને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ આરોપી વિહાભાઈ રૂખડભાઈ ભરવાડે છૂટા પથ્થરનો ઘા કરીને ફરિયાદી યુવાનને મોઢા અને આંખ પાસે ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ત્રણેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે