ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં બોરીયાપાટી પાસે ટાવરના વંડામાંથી ૧૫ કેવીના બે લાખની કિંમતના જનરેટરની ચોરી


SHARE













મોરબીમાં બોરીયાપાટી પાસે ટાવરના વંડામાંથી ૧૫ કેવીના બે લાખની કિંમતના જનરેટરની ચોરી

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઈન્ડેઝના ટાવર પાસેથી કિલોસ્કાર કંપનીના ૧૫ કેવિના જનરેટરની ચોરી કરવામાં આવી છે જેથી કરીને બે લાખ રૂપિયાની કિંમતના જનરેટરની ચોરી થઈ હોવા અંગેની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અશોકભાઈ પાલજીભાઈ રાઠોડ (૩૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૧૯/૧૨ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી લઈને તા. ૨૪/૧૨ ના બપોરના ૩:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઇન્ડેઝના ટાવરના વંડામાં દિવાલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરીને ટાવર પાસે રાખવામાં આવેલ કિલોસ્કર કંપનીનું ૧૫ કેવીનું જનરેટર જેની કિંમત બે લાખ રૂપિયાના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News