હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી


SHARE







ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટમાં રહેતા યુવાનના ઘરની અંદર અજાણ્યા શખ્સે રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી મોબાઇલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયા જાતે પટેલ (ઉમર ૪૦) પોતાના ઘરે હતા ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્ય શખ્સે તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી વીવો કંપનીના ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોન ચોરી કરી ગયેલ છે જેથી કરીને દિનેશભાઈ ઝાલરીયાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મનીષ મહેશભાઈ સુમેસરા નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા હર્ષાબેન ગિરીશભાઈ દુદકિયા (૫૭) અને તૃપ્તિબેન ગિરીશભાઈ દુદકિયા (૨૭) બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામના ઝાંપાની પાસે આવેલ મારૂતિ પાન નજીક તેઓનું બાઈક સ્લીપ થતા બંનેને ઈજા થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરણ મનીષભાઈ સોલંકી (૧૭) અને સંજય કાંતિલાલ કડેવાર (૨૬) ને આયુષ હોસ્પિટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News