મોરબીથી હરિયાણાના પાણીપથમાં મોકલાવેલ કોલસો સગેવગે કરીને ૫.૧૬ લાખની છેતરપિંડી
તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ, પોલીસ નિંદ્રાધીન : માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાંથી ૧.૪૭ લાખના મુદામાલની ચોરી
SHARE
તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ, પોલીસ નિંદ્રાધીન : માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાંથી ૧.૪૭ લાખના મુદામાલની ચોરી
માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એક કે બે નહીં પરંતુ નવ જેટલા બંધ મકાનોના તાળાં તોડવામાં આવ્યા હતા જે પૈકીનાં એક મકાનમાંથી તસ્કરો રોકડા ૨૭૦૦૦ અને દાગીના મળીને ૧૪૭૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના સરવડ ગામે તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ હોય તેવો ઘાટ સર્જાયો હતો અને એકી સાથે નવ બંધ મકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવ્યા હતા જો કે, તસ્કરોએ જે મકાનોને નિશાના બનાવેલ છે તેમાંથી મોટાભાગના મકાન માલિકો હાલમાં મોરબીમાં રહે છે જેથી કરીને ચોરી કરવા માટે આવેલા શખ્સો શું ચોરી કરી ગયા તેની માહિતી સામે આવી ન હતી જો કે, સરવડ ગામમાં જ રહેતા અમ્રુતલાલ છગનલાલ લોદરીયા જાતે પટેલ (૫૦)એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મકાનના તાળાં તોડવામાં આવ્યા છે અને કબાટમાં રાખવામાં આવેલ ૨૭૦૦૦ રોકડા તેમજ ૧૨૦૦૦૦ ના દાગીના આમ કુલ મળીને તસ્કરો ૧૪૭૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.