હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ


SHARE







મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે માનવ સર્જિત દુર્ઘટનામાં ઝુલતા પુલ ઉપર ફરવા જનાર ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને આ ઘટના ચાર અઠવાડિયા નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં જેથી કરીને માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ ફટકારી છે અને એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.


અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની ફરીયાદમાં માનવ અધિકાર આયોગે તાબડતોબ કાર્યવાહી કરેલ છે અને મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેમાં માનવ અધિકાર આયોગને માનવ અધિકાર ભંગની ફરિયાદ મળતા આ ગંભીર ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના પરિવારના સભ્યોના માનવ અધિકાર ભંગના બનાવમાં અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશન કરી હતી જેના આધારે હાલમાં આયોગે નોટિસ ફટકારી છે અને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રીપોર્ટ માંગ્યો છે અને કાંતિલાલ પરમાર દ્વારા ઝુલતા પુલનો જેને કોન્ટ્રાકટ લીધો હતો તે ઓરેવા કંપનીના જવાબદાર માલિક અને નગરપાલિકા, જીલ્લા કલેક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે અને પ્રત્યેક ભોગ બનનારના વારસદાર આશ્રિતને ૫૦ લાખનું વળતર અને સાચા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે.






Latest News