મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ
મોરબીના ભરતનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં
SHARE
મોરબીના ભરતનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતી પરણીતા કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતા ઘુમાભાઇ ડામોરના પત્ની વર્ષાબેન (ઉંમર ૨૯) પોતાના ઘરે હતા ત્યારે ભરતનગર ગામે કોઈ કારણોસર તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના લીધે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો છ વર્ષનો છે અને તેને કોઈ સંતાન નથી જો કે, હાલમાં વર્ષાબેન સંપૂર્ણ ભાનમાં છે અને તેની સારવાર હોસ્પિટલ ખાતે ચાલી રહી છે જોકે પરણીતાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર અને જેતપર ગામ વચ્ચેથી બાઇક લઈને રંગપર ગામે રહેતો કુલદીપ નારણભાઈ વડસોલા (૨૭) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે તેનું બાઇક ટ્રક સાથે અથડાયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઈજા થવાથી કુલદીપ વડસોલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા ગામ પાસે આવેલ સીએનજીના પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ચોકારામ તેજારામ ગોધારા (૨૮) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.