મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉદ્યોગપતિથી બન્યા વૃક્ષ સેવક


SHARE











મોરબીના જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉદ્યોગપતિથી બન્યા વૃક્ષ સેવક

ગુજરાતનાં મોરબી જિલ્લામાં વસતા જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉર્ફે જીવરાજબાપા ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. અને જીવરાજબાપા વર્તમાન સમયમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમને દર મહીને સરકાર તરફથી જે પેન્શન આવે છે તેઓ એને વૃક્ષો વાવવામાં જ વાપરે છે. જીવરાજબાપાને ૪ પેઢીએ દીકરા છે. તેમણે પોતાનો ધંધો દીકરાઓને હવાલે કરી લીધો છે.

જીવરાજબાપા જયારે પોતાના કારખાને કામ પર જતા ત્યારે એમણે નોંધ્યું કે રસ્તામાં ક્યાંય ઝાડ નથી. અને ખાલી રસ્તા જોઇને તેમને ભગવાને ત્યાં ઝાડ ઉગાડવાની પ્રેરણા આપી અને પછી તેમણે આ કાર્ય શરુ કર્યું હતું અને જીવરાજબાપા ૬ વર્ષથી આજ કાર્ય કરી રહ્યા છે. ખાલી રસ્તાઓમાં ઝાડ વાવવા જ તેમની નિવૃત્તિની પ્રવૃત્તિ બની ગઈ છે. અને જીવરાજબાપાએ અત્યાર સુધી ૧૫ હજાર વૃક્ષો વાવી અને તેનું જતન કરેલ છે અને અન્ય ૧૨ ઝાડ લોકોને વાવવા માટે આપ્યા છે. હાલમાં જીવરાજબાપાનાં ત્રણ સિરામિકનાં કારખાનાઓમાં ૪૦૦ માણસો કામ કરે છેઅને હાલમાં તેઓ વૃક્ષો વાવી પર્યાવરણની સેવા કરી રહ્યા છે. તેમના જીવનમાં પત્ની ડાહીબેનનો અને સમગ્ર કુટુંબનો પણ આ સેવા કાર્યમાં સહયોગ મળી રહ્યો છે.






Latest News