મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર
Breaking news
Morbi Today

મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો


SHARE











મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો

મોરબીના જલારામ ધામ ખાતે સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો હતી અને અહી અત્યાર સુધીના ૫૭ કેમ્પમાં કુલ ૧૫,૯૪૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરમાં આવેલ શ્રી જલારામ ધામ ખાતે યોજાઈ છે. દરમ્યાન તાજેતરમાં તા.૪-૬-૨૦૨૬ ગુરુવાર ના રોજ કેમ્પ યોજાયો હતો. જેનો ૨૦૦ દર્દીઓ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૦ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (હ.પ્રવિણભાઈ, સંજયભાઈ, નિલેશભાઈ) પરિવારના સહયોગથી યોજાયો હતો. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી તેવી માહિતી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે આપી હતી.






Latest News