મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો
SHARE
મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો
મોરબીના જલારામ ધામ ખાતે સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો હતી અને અહી અત્યાર સુધીના ૫૭ કેમ્પમાં કુલ ૧૫,૯૪૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરમાં આવેલ શ્રી જલારામ ધામ ખાતે યોજાઈ છે. દરમ્યાન તાજેતરમાં તા.૪-૬-૨૦૨૬ ગુરુવાર ના રોજ કેમ્પ યોજાયો હતો. જેનો ૨૦૦ દર્દીઓ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૦ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (હ.પ્રવિણભાઈ, સંજયભાઈ, નિલેશભાઈ) પરિવારના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી તેવી માહિતી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે આપી હતી.