મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી ચક્કાજામ ખોલવા પોલીસે કર્યો બળપ્રયોગ
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી


SHARE











માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના જુના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં માતાજી ઉપર રાખવામાં આવેલા ચાંદીના નાના મોટા 13 છતરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40 હજાર રૂપિયાની કિંમતના ચાંદીની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજા (36) એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, જૂના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને મંદિરમાં માતાજી ઉપર ચઢાવવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ મળીને 13 છતર જેનો કુલ વજન 400 ગ્રામ થાય છે તે 40,000 ની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો મોદીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News