હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન


SHARE







માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન

માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતા યુવાનની થોડા સમય પહેલા પીપળીયા ચાર રસ્તા નજીક જામનગર રોડ ઉપર કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને ગુનામાં સંડોવાયેલ આરોપીના ઘરે મૃતક યુવાનના પરિવારમાંથી 5 મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓ ગયા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ઘરવખરીને ઘરની બહાર કાઢીને તેમજ ઘરમાં સળગાવી નાખી હતી અને 1.5 લાખ રૂપિયાના મુદ્દામાલને નુકસાન કર્યું છે જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના નવી નવલખી ગામના મૂળ રહેવાસી અને હાલ જામનગર માધાપર ભૂંગા વિસ્તારમાં રહેતા બાનુબેન અભરામભાઈ સાચા (45)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇબ્રાહીમભાઇ હારુનભાઈ સોતા, ઇશાક કરીમભાઈ પઠાણ, સકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હસનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઈ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 11/5 ના રોજ તેઓના ગામના રહેવાથી અબ્બાસ અબ્દુલભાઈ સોતાની પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જવાનો રસ્તા ઉપર આવેલ કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને તે ગુનામાં હાલના ફરિયાદી મહિલાનો દીકરો હુસેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલ હોય બાબતનું મનદુઃખ રાખીને મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો નવી નવલખી ગામે આવેલ ફરિયાદીના ઘરમાં આવ્યા હતા અને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઘરની અંદર અને બહારના ભાગમાં આગ ચાંપીને માલ સમાન સળગાવી નાખ્યો હતો જેથી 1.5 લાખની ઘરવખરીમાં નુકશાન કરેલ હોવાની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News