મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત
માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન
SHARE
માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન
માળીયા (મી)ના નવી નવલખી ગામે રહેતા યુવાનની થોડા સમય પહેલા પીપળીયા ચાર રસ્તા નજીક જામનગર રોડ ઉપર કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીના ઘરે મૃતક યુવાનના પરિવારમાંથી 5 મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓ ગયા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ઘરવખરીને ઘરની બહાર કાઢીને તેમજ ઘરમાં સળગાવી નાખી હતી અને 1.5 લાખ રૂપિયાના મુદ્દામાલને નુકસાન કર્યું છે જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા મીયાણાના નવી નવલખી ગામના મૂળ રહેવાસી અને હાલ જામનગર માધાપર ભૂંગા વિસ્તારમાં રહેતા બાનુબેન અભરામભાઈ સાઇચા (45)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇબ્રાહીમભાઇ હારુનભાઈ સોતા, ઇશાક કરીમભાઈ પઠાણ, સકીનાબેન અબ્બાસભાઈ સોતા, સલમાબેન હસનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઈ સોતા, શેરબાનુ ઇમરાનભાઈ સોતા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 11/5 ના રોજ તેઓના ગામના રહેવાથી અબ્બાસ અબ્દુલભાઈ સોતાની પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જવાનો રસ્તા ઉપર આવેલ કોલસાના ડેલા પાસે હત્યા કરવામાં આવી હતી અને તે ગુનામાં હાલના ફરિયાદી મહિલાનો દીકરો હુસેન અભરામભાઈ સાઇચા પણ સંડોવાયેલ હોય આ બાબતનું મનદુઃખ રાખીને મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો નવી નવલખી ગામે આવેલ ફરિયાદીના ઘરમાં આવ્યા હતા અને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઘરની અંદર અને બહારના ભાગમાં આગ ચાંપીને માલ સમાન સળગાવી નાખ્યો હતો જેથી 1.5 લાખની ઘરવખરીમાં નુકશાન કરેલ હોવાની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.